Thursday, 27 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 02



સ્વાયત્તતા સંમેલન 
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પહેલી માર્ચ , રવિવાર ,બપોરે બે વાગ્યે 



આથી  હશે અન્ય ન કોઈ રસ્તો ?
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો ,
ને પથ્થરો થી વધુ હોય પોચો?

જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો ,
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો ;
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી, 
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી?

વિચારની  જ્યાં નવ હોય શૂન્યતા,
ને ન્યાય ની ન્હોય જરીય ન્યૂનતા? 

બિરાદરી  ખેલદિલી સમાજે 
ખીલાવવી હોય સદાય કાજે ,
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં 
અનિષ્ટ કૈ; યુગોથી પેઠાં,
દેવા સદાની સહુને શિકસ્તો 
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો !


- નિરંજન ભગત 

'નિવેદન , ઓગષ્ટ  1956' કાવ્યમાંથી  સાભાર 


No comments:

Post a Comment