Sunday, 1 October 2017

PARISHAD ELECTIONS - BLOG 04

PARISHAD ELECTIONS - BLOG 04

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 
2018-2020
ચાર 

'ચૂંટણી' એ 'સ્વાયત્તત્તા'નું ઉપનામ છે.


પરિષદ સાથે સંકળાયેલા યુવા લેખકો અને સભ્યોએ એ વાત સમજવા જેવી છે કે પરિષદની વર્તમાન ચૂંટણીનો એક પ્રમુખ મુદ્દો ગુજરાતી સાહિત્યની સ્વાયત્તત્તાનો  છે.  
નિરંજન ભગત, ચંદ્રકાન્ત ટોપીવાળા, ધીરુ પરીખ, પ્રકાશ ન. શાહ જેવા વરિષ્ઠ અને સન્માનનીય સાહિત્યકારોનો અકાદમીની સ્વાયત્તતા વિશેનો  સતત આગ્રહ એ વિતંડાવાદ નહી પણ વિધાયક વિમર્શનું સ્વસ્થ ઉદાહરણ છે.

આજની સરકારી નિયંત્રણ હેઠળની અકાદમી આવતીકાલે પરિષદની સ્વાયત્તતાને ખંડિત કરી શકશે. એ કરતાં, આજની સ્વાયત્ત પરિષદ અકાદમી માટે પ્રેરણારૂપ બને એમાં આવતીકાલના ગુજરાતી સાહિત્ય વિષે શુભસંકેત છે.

જેટલી પારદર્શકતાથી પરિષદમાં ચૂંટણી યોજાઈ રહી છે તે સૂચવે છે કે પરિષદ સાચા અર્થમાં સ્વાયત્ત છે. અકાદમી નથી. હોવી જોઈએ.

કવિ સિતાંશુએ ભૂતકાળમાં પરિષદની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી છે. એથી પરિષદ ઉપરનો એમનો અધિકાર ઘટતો નથી, બેવડાય છે. બળવંત જાની પણ આજ લગી પરિષદ વિષે તટસ્થ હતા પણ હવે સક્રિય થવા ચાહે  છે, તો એમનો પણ એ સહજ અધિકાર છે. બેમાંથી કોને પ્રમુખપદે સ્થાપવા એ આપનો અધિકાર છે. સમયસર મતદાન કરી એ અધિકારને અદા કરીએ. અને એ રીતે ચૂંટણીને સ્વાયત્તતાના મૂલ્યરૂપે સ્થાપીએ. 
લોકશાહી સમાજમાં ચૂંટણી દુષણ નહિ આભૂષણ છે. 'ચૂંટણી' એ 'સ્વાયત્તતા'નું સાચું ઉપનામ છે.
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વિમર્શ 
પરેશ નાયક 

No comments:

Post a Comment